🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
24 જાન્યુઆરી
📜24 જાન્યુઆરી , 1857માં ભારતના કોલકાતા શહેરમાં યૂનિવર્સિટી ઓફ કોલકાતાની સ્થાપના કરાઇ હતી.
📜24 જાન્યુઆરી , 1939માં ચિલીમાં આવેલ ભૂકંપમાં લગભગ 50 હજાર લોકોના મોત થયા હતા.
📜24 જાન્યુઆરી , 1950માં સંવિધાન | સભાએ રાજેન્દ્ર પ્રસાદને દેશ પહેલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતા.
📜24 જાન્યુઆરી , 1950માં જન ગણ મનને રાષ્ટ્રગાન તરીકેની માન્યતા મળી હતી.
📜24 જાન્યુઆરી , 2000માં દલિતોની અનામતને 10 વર્ષ માટે વધારવા માટે બંધારણના 79માં સુધારણા માટે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી.
📜24 જાન્યુઆરી , 2011માં ભારત રત્નથી સન્માનિત પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીનું નિધન.
મહત્વની ઘટનાઓ
-
૧૮૫૭ – કલકત્તા વિશ્વવિદ્યાલયની ઔપચારિક રીતે દક્ષિણ એશિયાના પ્રથમ સંપૂર્ણ વિકસિત વિશ્વવિદ્યાલય તરીકે સ્થાપના કરવામાં આવી.
-
૧૯૪૬ – સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સંયુક્ત રાષ્ટ્ર અણુ ઊર્જા આયોગની સ્થાપનાનો પ્રથમ ઠરાવ પસાર કર્યો.
-
૧૯૫૦ – જન ગણ મન ગીતને ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું.
-
૧૯૬૬ – જીનિવા જવા નીકળેલું એર ઇન્ડિયાનું વિમાન (ફ્લાઇટ નં. ૧૦૧) ફ્રાન્સની વિખ્યાત મોં બ્લાં પર્વતમાળાના બોસન્સ નામના શિખર પર તૂટી પડતાં તમામ ૧૧૭ મુસાફરો માર્યા ગયા. વિમાનના મુખ્ય ચાલક હજારીલાલ પુરોહિત ૨૦૦ કલાકના ઉડ્ડયનનો અનુભવ ધરાવતા કાબેલ પાયલટ હતા. આ કમનસીબ વિમાનમાં ભારતીય અણુકાર્યક્રમના ભિષ્મ પિતામહ ડૉ. હોમી જહાંગીર ભાભા પણ હતા.